જિલ્લા કક્ષાના બાળ વિજ્ઞાન પરીષદ 2016 સોનગઢ મુકામે મહાવી જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ (MJCKR) ખાતે તા.10/09/2016 ને શનિવારના રોજ લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા યોજાઇ હતી જેમા ધ્રુપકા શાળાના બાળકો એ ભાગ લીધો હતો. જેમા બાળકોએ વિદ્યુતઉર્જા બચત અને તેની ઊપયોગીતા અંગેની લોકોમા જાગૃતતા વિષય પર સંશોધન કરી તેનુ પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતુ. આ પ્રેઝન્ટેશનની રજુઆત ટીમના લીડર તરીકે રિધ્ધિબેન દિનેશભાઈ રાઠોડ (ધો-8) દ્વારા MJCKR શાળામા કરી હતી. ઊપરાંત સંશોધન કરનાર અન્ય સભ્યોમા દિપાલીબેન દિનેશભાઇ રાઠોડ (ધો-8), આશાબેન હિંમતભાઇ વાઘેલા (ધો-8), સોનલબેન બાલાભાઇ રાઠોડ (ધો-8) તથા આરતીબેન રમેશભાઇ ગોહેલ (ધો-8) હતા.