ધ્રુપકા ગામ માટેની જાહેરાત

ધ્રુપકા ગામ માટેની જાહેરાત:-●ઊનાળુ વેકેશન તા.2/4/2021 થી તા. 6/05/2021 સુધી છે. ● હાલમાં કોરોના મહામારી હોવાથી તમારા પરિવારનું ધ્યાન રાખજો ● માસ્ક પહેરિને બહાર જવું ● ખુબ જરુરી કામ હોય તો બહાર જવું ● 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ રસી લેવી●આપનું બાળક 5 વર્ષનું થઈ ગયું હોય તો તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનું કામ શરૂ છે..☺● કુલ 16 બાળકો એ પરીક્ષા આપી હતી. જેમાંથી 12 બાળકો પાસ થાય જ્યારે 4 બાળકો નાપાસ થાય. *ક્રમ-નામ - ગુણ-પરિણામ* 1.તેજલબેન કાંતિભાઈ વાળા-119-પાસ 2.મયુર ભરતભાઇ મકવાણા-109-પાસ 3.બિપિન ધીરુભાઈ મકવાણા-97-પાસ 4.તુલસી કાળુભાઇ પરમાર-96-પાસ 5.રિદ્ધિ મકાભાઈ ગોહેલ-95-પાસ 6. દિવરાજ ડાયાભાઇ ગોહેલ-91-પાસ 7. યુવરાજ રમેશભાઈ ગોહેલ-88-પાસ 8. વનિતા જગદીશભાઈ બારૈયા-86-પાસ 9. ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ- 85- પાસ 10. તુલસી વલ્લભભાઈ મેર-78-પાસ 11. હર્ષદ બાલાભાઈ રાઠોડ- 73-પાસ 12. મનીષા પ્રવીણભાઈ મકવાણા- 72- પાસ 13. જયદીપ ભરતભાઇ મકવાણા- 71-નાપાસ 14.શીતલ જયંતિભાઇ મેર-70-નાપાસ 15. શ્રદ્ધા રમેશભાઈ રાઠોડ- 67- નાપાસ 16. પ્રથમ હરેશભાઇ મેર- 58-નાપાસ ● ધોરણ 8ના વર્ષ 2021ના તેજસ્વી તારલાઓ: પ્રથમ નંબર-બિપિન ધીરુભાઇ મકવાણા, દ્વિતીય નંબર- તુલસી કાળુભાઇ પરમાર, તૃતીય નંબર- ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ, ચોથો નંબર- યુવરાજ રમેશભાઇ ગોહેલ, પાંચમો નંબર- અર્ષ મુખ્તારભાઇ ભટ્ટી

જાહેરાત



ઊનાળુ વેકેશન તા.2/4/2021 થી તા. 6/05/2021 સુધી છે

આપનું બાળક 5 વર્ષનું થઈ ગયું હોય તો તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનું કામ શરૂ છે.

NMMS પરીક્ષા પરિણામ

કુલ 16 બાળકો એ પરીક્ષા આપી હતી. જેમાંથી 12 બાળકો પાસ થાય જ્યારે 4 બાળકો નાપાસ થાય.

1.તેજલબેન કાંતિભાઈ વાળા-119

2.મયુર ભરતભાઇ મકવાણા-109

3.બિપિન ધીરુભાઈ મકવાણા-97

4.તુલસી કાળુભાઇ પરમાર-96

5.રિદ્ધિ મકાભાઈ ગોહેલ-95

ધોરણ 8ના વર્ષ 2020ના તેજસ્વી તારલાઓ:

પ્રથમ નંબર-બિપિન ધીરુભાઇ મકવાણા

દ્વિતીય નંબર- તુલસી કાળુભાઇ પરમાર

તૃતીય નંબર- ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ

ચોથો નંબર- યુવરાજ રમેશભાઇ ગોહેલ

અર્ષ મુખ્તારભાઇ ભટ્ટી

માસ્ક પહેરિને બહાર જવું ● ખુબ જરુરી કામ હોય તો બહાર જવું

18 વર્ષથી ઉપરના વ્યક્તિઓએ રસી લેવી

ભીડવાળી જગ્યાઓ, લગ્ન પ્રસંગ, મેળાઓ, મોલ, સિનેમાઘરો જેવી જગ્યાઓએ જવું નહીં.

બહાર જઈને આવો ત્યારે હાથ સાબુ ધોવા.

Sunday, 16 May 2021

ધોરણ ૧માં પ્રવેશ માટેનું ઓનલાઇન ફોર્મ

 ધ્રુપકાના વ્હાલા વાલીઓ*


*ધોરણ ૧માં પ્રવેશ માટેનું ફોર્મ*

*શુ તમારા બાળકના પાંચ વર્ષ પુરા થઈ ગયા છે?*

*શુ તેની જન્મ તારીખ 01/06/2016 પહેલાની છે તો તે પહેલાં ધોરણમાં દાખલ થવા પાત્ર છે*

*શુ તમે તેને શાળામાં ભણવા મુકવા માટે ચિંતીત છો?* તો👇👇

 *શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળા* માં *ધોરણ-૧માં બાળકોના નવા પ્રવેશ*  માટે *ગુગલ ઓનલાઈન ફોર્મ* નો ડિજિટલ નવતર પ્રયોગ કરી રહ્યા છીએ.

💐🦋🌷🦚🏆🎖🌸🏵🌺🎗️🥉

*નીચે આપેલી લિંક પર ક્લિક કરીને વિગત ભરતાં જ તમારા બાળકને આ વર્ષે ધોરણ-૧માં પ્રવેશ મળશે કે કેમ એ તપાસી શકાશે.* 🏅🥇🌷🦋🌸🎖️🦚🏆

*આ લિંક પર ક્લિક કરો*👇👇👇👇




*ધ્રુપકાના હોનહાર અને પ્રતિભાશાળી બાળકોના સપનાઓને સાકાર કરવા અમે કટિબદ્ધ છીએ* 💪💪🦚🌈⛄🎯🎯

*આ મેસેજ ધ્રુપકા ગામના અન્ય ગ્રુપમાં શેર કરવાની કૃપા કરશો* 🙏🙏🙏

*શાળામાં થતી વિવિધ પ્રવૃતિઓની ઝલક જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો*👇👇

*શાળા વિશે વધુ જાણવા માટે  બ્લોગ વિઝીટ કરો*👇👇


        *આચાર્યશ્રી*
      *અકબરભાઈ કે. બાબી*
*શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળા*
*મો.નં.9016910258*

NMMS પરીક્ષા-2021 પરિણામ

 કુલ 16 બાળકો એ પરીક્ષા આપી હતી.

જેમાંથી 12 બાળકો પાસ થાય જ્યારે 4 બાળકો નાપાસ થાય.

*ક્રમ-નામ - ગુણ-પરિણામ*
1.તેજલબેન કાંતિભાઈ વાળા-119-પાસ
2.મયુર ભરતભાઇ મકવાણા-109-પાસ
3.બિપિન ધીરુભાઈ મકવાણા-97-પાસ
4.તુલસી કાળુભાઇ પરમાર-96-પાસ
5.રિદ્ધિ મકાભાઈ ગોહેલ-95-પાસ
6. દિવરાજ ડાયાભાઇ ગોહેલ-91-પાસ
7. યુવરાજ રમેશભાઈ ગોહેલ-88-પાસ
8. વનિતા જગદીશભાઈ બારૈયા-86-પાસ
9. ભાર્ગવ દિનેશભાઇ ગોહેલ- 85- પાસ
10. તુલસી વલ્લભભાઈ મેર-78-પાસ
11. હર્ષદ બાલાભાઈ રાઠોડ- 73-પાસ
12. મનીષા પ્રવીણભાઈ મકવાણા- 72- પાસ
13. જયદીપ ભરતભાઇ મકવાણા- 71-નાપાસ
14.શીતલ જયંતિભાઇ મેર-70-નાપાસ
15. શ્રદ્ધા રમેશભાઈ રાઠોડ- 67- નાપાસ
16. પ્રથમ હરેશભાઇ મેર- 58-નાપાસ


પાસ થનાર સૌ વિદ્યાર્થીઓને ધ્રુપકા શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

અને જે બાળકો પાસ નથી થયા તમને પણ પરીક્ષામાં ભાગ લેવા બદલ અભિનંદન.

Friday, 30 April 2021

Result

 વાર્ષિક પરિણામ 2020-2021

હાલમાં કોરોના મહામારી અંતર્ગત કોઇ બાળકે શાળાએ આવવાનું નથી.

આથી આખા વર્ષ દરમિયાન આપના બાળકે આપેલ ટેસ્ટ, ઘરે શીખીએ બુક, હોમ લર્નિંગ અંતર્ગત બતાવવામાં આવતા વિડીયોના આધારે પરિણામ તૈયાર કરવામા આવે છે.

આપનું બાળક જે ધોરણમાં અભ્યાસ કરતુ હોય તે ધોરણની લિંક પર ક્લિક કરી.

આપના બાળકનું નામ શોધી એના પર ક્લિક કરવી.


સૂચના:

1. આપના મોબાઇલમાં pdf Reader નામની એપ હોવી જોઇએ.

2. આપના મોબાઇલમાં G-Mail થી લોગીન હોવો જોઇએ.


ધોરણ -3 માટે અહી ક્લિક કરો.

ધોરણ -4 માટે અહી ક્લિક કરો.

ધોરણ -5 માટે અહી ક્લિક કરો.

ધોરણ -6 માટે અહી ક્લિક કરો.

ધોરણ -7 માટે અહી ક્લિક કરો.

ધોરણ -8 માટે અહી ક્લિક કરો.


Tuesday, 27 April 2021

પરિણામ પત્રક ગ્રેડ સાથે (Result Sheet with Grade)

 પરિણામ પત્રક ગ્રેડ સાથે (Result Sheet with Grade)


નમસ્કાર મિત્રો,

અહી ધોરણ 3 થી 8 માટેનું પરિણામ પત્રક આપેલ છે.

અહી આપેલ શીટમાં કોઇ પ્રોટેક્શન નથી, કોઇ પણ તેમા સુધારા વધારા કરી શકે છે.

બને તો રંગીન ખાનામાં કાંઇ લખવું નહિ, તેમા ફોર્મુલા છે.


વધુ વિદ્યાર્થીઓ હોય તો સેલ સીલેક્ટ કરી તેને નીચે તરફ ખેચવું.

ધોરણ 3 ની એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


ધોરણ 4 ની એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


ધોરણ 5 ની એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


ધોરણ 6 થી 8 ની એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

Tuesday, 13 April 2021

એકમ કસોટી 2019-2020

એકમ કસોટી 2019-2020

અહી વર્ષ 2019-20 માં લેવાયેલ પ્રથમ સત્ર અને દ્વિતિય સત્રની એકમ કસોટીઓ મુકેલ છે.


પ્રથા સત્ર માટે અહી ક્લિક કરો.


દ્વિતીય સત્ર માટે અહી ક્લિક કરો.

Monday, 12 April 2021

સ્વ- અધ્યયન પોથી

 સ્વ- અધ્યયન પોથી 

ધોરણ 3 થી 8



ધોરણ 3 થી 8ની સ્વાધ્યાય પોથી ડાઉનલોડ કરવા આપેલ લીંક પર ક્લિક કરવી.


ધોરણ - 3 માટે  અહી ક્લિક કરો.


ધોરણ - 4 માટે  અહી ક્લિક કરો.


ધોરણ - 5 માટે  અહી ક્લિક કરો.


ધોરણ - 6 માટે  અહી ક્લિક કરો.


ધોરણ - 7 માટે  અહી ક્લિક કરો.


ધોરણ - 8 માટે  અહી ક્લિક કરો.



Sunday, 4 April 2021

હોમ લર્નિંગ વિડિયો (તા. 5/4/2021)

 હોમ લર્નિંગ વિડિયો

તા. 05/04/2021

કોરોના મહામારીના કારણે હાલ શાળાઓ બંધ છે આથી આપના બાળકનું શિક્ષણ બગડે નહિ તે માટે શિક્ષણ વિભાગ દ્વારા દરેક ધોરણના વિડિયો મૂકવામા આવે છે 

આ વિડિયો આપના બાળકને બતાવજો.

શાળા બંધ છે શિક્ષણ નહિ


ધોરણ -2 નો વિડિયો જોવા માટે અહી કલીક કરો.


ધોરણ -3 નો વિડિયો જોવા માટે અહી કલીક કરો.


ધોરણ -4 નો વિડિયો જોવા માટે અહી કલીક કરો.


ધોરણ -5 નો વિડિયો જોવા માટે અહી કલીક કરો.


ધોરણ -6 નો વિડિયો જોવા માટે અહી કલીક કરો.


ધોરણ -7 નો વિડિયો જોવા માટે અહી કલીક કરો.


ધોરણ -8 નો વિડિયો જોવા માટે અહી કલીક કરો.


ધોરણ -10 નો વિડિયો જોવા માટે અહી કલીક કરો.



Wednesday, 10 March 2021

NMMS Online Testનો ખજાનો


🏅 NMMS પરીક્ષા માટે કવિઝનો ખજાનો 🏅


🏆 છેલ્લી ત્રણ પરિક્ષાઓના વિભાગ અને મુદ્દા મુજબ પ્રશ્નોનું સંકલન 🏆


👉 NMMS પરીક્ષાની તૈયારી કરતા ધોરણ 8ના બાળકો માટે ખૂબ જ ઉપયોગી ટેસ્ટ


👉 દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે 2 મિનિટનો સમય છે.


👉 ઝડપી જવાબ આપનારને વધુ પોઇન્ટ મળશે.


👉 કવિઝના અંતે તમે લીડરબોર્ડ જોઈ શકશો જેમાં અન્ય બાળકો કરતા તમે ક્યાં છો તે જાણી શકાશે.

👉 આ કવિઝ 15 માર્ચ સુધી ગમે તેટલી વાર રમી શકશે

કવિઝ રમવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી


 🔷 લોહીનો સંબંધ ધરાવતા પ્રશ્નો

https://quizizz.com/join?gc=63988802


 🔷 કેલેન્ડર આધારિત પ્રશ્નો

https://quizizz.com/join?gc=14591042


 🔷 NMMS પેપર ગણિત 2019

https://quizizz.com/join?gc=39298114


 🔷 NMMS પેપર સામાજિક વિજ્ઞાન 2019

https://quizizz.com/join?gc=25977922


🔷  nmms પેપર વિજ્ઞાન -2019

https://quizizz.com/join?gc=45507650


🔷  મહાશબ્દ શોધો

https://quizizz.com/join?gc=11691074

 🔷 અલગ પડતી આકૃતિ શોધો

https://quizizz.com/join?gc=02712642

 🔷  મૂળાક્ષરના ક્રમ આધારિત પ્રશ્નો

https://quizizz.com/join?gc=51700802

🔷  શબ્દ વચ્ચેનો સંબંધ

https://quizizz.com/join?gc=39674946

🔷  અલગ પડતો શબ્દ શોધો

https://quizizz.com/join?gc=65758274

આપેલ આકૃતિમાં રહેલ ચોરસ અને ત્રિકોણની સંખ્યા

https://quizizz.com/join?gc=27223106

🔷  લોજિક -આકૃતિ આધારિત પ્રશ્નો

https://quizizz.com/join?gc=45802562


ધોરણ 7 અને  8ના ગણીત વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના

 દરેક પાઠ મુજબ MCQ પ્રશ્નો આપવા નીચે આપેલ

એપ ઇન્સ્ટોલ કરો.


https://play.google.com/store/apps/details?id=com.rudrabiztech.quizapp



📍 Created By 📍

      શૈલેન્દ્રસિંહ ગોહિલ

    શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળા

તા. સિહોર, જિ. ભાવનગર

Thursday, 18 February 2021

છત્રપતિ શિવાજી મહારાજ

  છત્રપતિ શિવાજી મહારાજ


જન્મતારીખ: 19 ફેબ્રુઆરી 1630

જન્મસ્થળ: શિવનેરી કિલ્લો, પુણે, મહારાષ્ટ્ર

પુરુ નામ: શિવાજી રાજે ભોંસલે

ઉપનામ: છત્રપતી શિવાજી મહારાજ

પિતાનું નામ: શાહજી

માતાનું નામ: જીજાબાઇ

અવશાન:  3 એપ્રિલ 1680

આપણો દેશ બહાદુર શાસકો અને રાજાઓની પૃષ્ઠભૂમિ રહ્યો છે. આવા મહાન શાસકો આ પૃથ્વી પર જન્મ્યા છે જેમણે તેમની ક્ષમતાઓ અને કુશળતાના આધારે ઇતિહાસમાં તેમના નામ ખૂબ જ સુવર્ણ અક્ષરોમાં નોંધ્યા છે. આવા જ એક મહાન યોદ્ધા અને વ્યૂહરચનાકાર હતા - છત્રપતિ શિવાજી મહારાજ.

 શિવાજી મહારાજે જ ભારતમાં મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો.

આજે ભારતના પરાક્રમી પુત્ર છત્રપતિ શિવાજી અને ભારતના બહાદૂર શાસકોમાંના એક મહારાજ છત્રપતિ શિવાજીની જન્મજયંતી છે.

વીર શિવાજી મહારાજને સ્વતંત્ર મરાઠા સામ્રાજ્યના સ્થાપક માનવામાં આવે છે. જ્યારે મુગલો દ્વારા ભારતનું શાસન હતું અને મુગલના આતંકથી ભારતના લોકો આતંકી હતા. જ્યારે દેશ ગુલામીની  નિંદ્રામાં ડૂબી ગયો હતો. ત્યારે વીર શિવાજીએ ગુલામી અને મોગલોના જુલમની વિરુદ્ધ બળવો કર્યો, સૂતેલા દેશવાસીઓને નિંદ્રામાંથી જાગૃત કર્યા.

શિવાજી મહારાજના જન્મ સમયે ભારતમાં એક મહાન સંકટ હતું. તે સમયે, દિલ્હીના સિંહાસન પર મોગલ બાદશાહ ઔરંગઝેબ શાસન કરતો હતો. ઔરંગઝેબની કટ્ટરતાની છાયા હેઠળ આખા ભારતના મુસ્લિમોમાં ધાર્મિક કટ્ટરતા ચરમસીમાએ હતી.

હિન્દુ સમુદાય પર વિવિધ પ્રકારના અત્યાચાર થઈ રહ્યા હતા. હિન્દુ સમુદાયના લોકોને ધર્મ પરિવર્તન કરવાની ફરજ પડતી હતી. ચારે બાજુ ભયનું સામ્રાજ્ય પ્રર્વતેલુ હતું  તે દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજનો ઉદભવ થયો.

છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા.

 છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630ના રોજ પુણે નજીક આવેલા  શિવનેરી કિલ્લામાં મરાઠા પરિવારમાં થયો હતો

તેમના પિતા શાહજી બીજપુરના બાદશાહ તરીકે ઉચ્ચ પદ પર હતા.

તેમને તેમના માર્ગદર્શક દાદા કોંડદેવ અને જીજાબાઈના ગુરુ સ્વામી રામદાસે ઉછેર્યા હતા. તેમની માતા જીજાબાઈએ તેનું જીવન વીર શિવાજીનું ઉચ્ચ પાત્ર બનાવવા માટે સમર્પિત કર્યું. શિવજી તેની માતાની ધાર્મિક કથાઓ સાથે વીર યોદ્ધાઓની કથાઓ સાંભળતા હતા.

આ રીતે, તેમનામાંની બહાદુરી અને ઉત્સાહ બાળપણથી જ રડે છે. નાનપણથી જ તેણે યુદ્ધ, ભાલા અને ધનુષ અને તીર ચલાવવામાં નિપુણતા મેળવી હતી. શિવાજી બાળપણમાં ક્રીટિમ યુદ્ધની રમત તેના છોકરાની સાથે જ રમતા હતા.

શિવાજી ઘણી બધી કલાઓમાં માહિર હતી. તેમને બાળપણથી જ રાજનીતિ અને ધર્મની શિક્ષા લીધી હતી

ઘણા લોકો તેમને હિન્દુ હૃદય સમ્રાટ કહે છે અને કેટલાક લોકો તેમને મરાઠા ગૌરવ પણ કહે છે.

6 જૂન 1674ના દિવસે રાયગઢમાં રાજ્યભિષેક બાદ તેઓ છત્રપતિ બન્યા હતા.

1674ની સાલમાં શિવાજીએ જ પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. તેઓ ઘણા વર્ષો સુધી ઔરંગઝેબ મુઘલ સામ્રાજ્ય સામે લડ્ય, જેથી શિવાજી મહારાજને બહાદૂર, બુદ્ધિશાળી, બહાદૂરીથી ભરેલા અને ઇતિહાસના મહાન રાજા તરીકે પૂજા કરવામાં આવે છે. શિવાજીના શાસન હેઠળ સામાન્ય લોકોને હંમેશા ન્યાય મળતો હતો અને જેથી જ આજે પણ તેઓને લોકોનો રાજા કહેવામાં આવે છે.

 મોગલ બાદશાહ ઔરંગઝેબે તેના સેનાપતિને વીર શિવાજી સાથે લડવા મોકલ્યો. વીર શિવાજીએ તેની નાની સેના સાથે મોગલો સામે લડ્યા. પોતાની નાની સૈન્ય સાથે પર્વતોમાં સંતાઇને, શિવાજીએ મોગલો સામે  યુદ્ધ કર્યું.

આ રીતે, તેણે ઔરંગઝેબની યોજનાઓને ઘણી વખત ધક્કો માર્યો. પરંતુ થોડા દિવસો પછી, મોગલ સેનાપતિ મિર્ઝા જયસિંગે તેની વિશાળ સૈન્ય સાથે શિવજીના ઘણા કિલ્લાઓ કબજે કર્યા.

શિવાજી મહારાજના લગ્ન 14 મે 1640ના રોજ સાંઇબાઈ નિમ્બલકર સાથે થયાં હતાં. 

 શિવાજીએ ગિરિલા યુદ્ધ જેવા મરાઠાઓની યુદ્ધ કુશળતા શીખવી હતી. 

તેમણે મરાઠાઓની ખૂબ મોટી સેના ઉભી કરી હતી.

 શિવાજી બધા ધર્મોના લોકોમાં માનતા હતા. તેમની સેનામાં ઘણા મુસ્લિમ સૈનિકો પણ હતા. 

તેમનું મુખ્ય લક્ષ્ય મુઘલ સૈન્યને હરાવવા અને મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરવાનું હતું. 

શિવાજી મહારાજના જીવનથી પ્રેરિત ભારતની આઝાદીની લડતમાં ઘણા લોકોએ તેમના શરીર, મન અને સંપત્તિનો ત્યાગ કર્યો હતો. 

શિવાજી મહિલાઓને પણ માન આપતા હતા. તેમણે મહિલાઓ સામે હિંસા, શોષણ અને અપમાનનો વિરોધ કર્યો હતો. 

મહિલા અધિકારોના ઉલ્લંઘનને પરિણામે તેમના રાજ્યમાં શિક્ષા આપવામાં આવી હતી.

મુગઘલો સાથે શિવાજી મહારાજનો પહેલો મુકાબલો વર્ષ 1656-57ની સાલમાં થયો હતો.

વીર શિવાજીને 1 મે 1666 ના રોજ મોગલ બાદશાહ ઔરંગઝેબના દરબારમાં હાજર થવું પડ્યું. હકીકતમાં, ઔરંગઝેબે શિવાજીને જયસિંહ દ્વારા બોલાવી હતી. ત્યાં તેનું યોગ્ય રીતે સન્માન કરવામાં આવતું ન હતું. .ઉલટું, તેની ધરપકડ કરવામાં આવી હતી અને નજરકેદ રાખવામાં આવ્યા.

તેથી, તેઓ ખૂબ ગુસ્સે થયા  તેઓ ઔરંગઝેવની યુક્તિ સમજી ગયા ઔરંગઝેબ તેમને બંદી બનાવીને મારી નાખવા માંગતો હતો . આ સ્થિતિમાં, તેમણે પોતાની શાણપણ અને સમજદારીનો ઉપયોગ કર્યો.

એક દિવસ તેમને ચાલાકીપૂર્વક મુઘલોને ચકમો આપી  મુઘલ દરબારમાંથી છટકી ગયા. માથાના વાળ કાપ્યા પછી, તેઓ કાશી અને જગન્નાથપુરી થઈને રાયગઢ પહોંચ્યા.

 શિવાજીને જ્યારે ગુપ્ત રીતે કેદમાંથી છોડાવવામાં આવ્યા ત્યારે તેઓ કેટલાક દિવસ ઈન્દોરમાં પણ રહ્યાં. 

રામદાસે જ્યારે છત્રપતિને આગ્રાથી છોડાવ્યા હતા ત્યારે તેઓ મહારાષ્ટ્ર માલવા થઈને ગયા હતા. આ દરમિયાન તેઓ કેટલાક દિવસ સુધી ઈન્દોરના પ્રાચીન દત્ત મંદિર અને ખંડવાના ખેડાપતિ હનુમાન મંદિરમાં રહ્યાં હતા 

.આની સૂચના મળતાની સાથે જ ગુરૂ સમર્થ રામદાસે પોતાની આઈડિયાથી તેમને છોડાવવાની યોજના બનાવી. ઔરંગઝેબને ભેટના રૂપમાં ફળો અને મિઠાઈઓ મોકલવામાં આવતી હતી. જે મિઠાઈઓ મોટી-મોટી પેટીઓમાં મોકલવામાં આવતી હતી. જે પેટીઓમાં શિવાજીને બહાર નિકાળવાની યોજના બનાવવામાં આવી હતી. આ યોજના હેઠળ જ શિવાજી મહારાજને બહાર નિકાળવામાં આવ્યા હતા. આમ શિવાજી અને છત્રપતિ શિવાજીને આઝાદ કરવામાં સફળ રહ્યાં હતા.

1674 માં વીર શિવજીનો રાયગઢના કિલ્લામાં પૂરા આદર સાથે તાજ પહેરાવવામાં આવ્યો. આ રાજ્યાભિષેક પછી, તેઓ છત્રપતિ કહેવાયા. હવે વીર શિવાજી ધીરે ધીરે શક્તિશાળી બન્યા.

બીજપુરના સુલતાન આદિલશાહના મૃત્યુ પછી, ત્યાં અરાજકતાનું વાતાવરણ ઊભું થયું, તેનો લાભ લઈને મોગલ બાદશાહ ઔરંગઝેબે બીજપુર પર આક્રમણ કર્યું. 

બીજી બાજુ શિવાજીએ જુન્નાર શહેર પર પણ હુમલો કર્યો અને ઘણી મુઘલ સંપત્તિ અને 200 ઘોડા કબજે કર્યા હતાં. પરિણામે ઔરંગઝેબ શિવાજી ઉપર ગુસ્સે થયો હતો. 

 ઔરંગઝેબે તેના પિતા શાહજહાંને કેદ કરી અને મોગલ બાદશાહ બન્યો ત્યાં સુધીમાં શિવાજીએ આખા દક્ષિણમાં પગ પેસારો કરી દીધો હતો.

 શિવાજી મહારાજના મૃત્યુ અને વારસદાર:

શિવાજી તેમના છેલ્લા દિવસોમાં બીમાર પડ્યા હતા અને શિવાજીનું 3 એપ્રિલ 1680 ના રોજ અવસાન થયું હતું. તે પછી તેમના પુત્ર રાજારામને ગાદી મળી. શિવાજીના મૃત્યુ પછી, ઔરંગઝેબે ભારત પર શાસન કરવાની તેમની ઇચ્છાને પૂર્ણ કરવા માટે તેની 5,00,000 સૈન્ય સાથે દક્ષિણ ભારત તરફ વળ્યું.

રાજારામનું મૃત્યુ 1700માં થયું હતું, ત્યારબાદ રાજારામની પત્ની તારાબાઈએ 4 વર્ષના પુત્ર શિવાજી-2ના સંરક્ષક તરીકે શાસન કર્યું હતું. મરાઠાઓ સ્વરાજના યુદ્ધમાં આખરે 25 વર્ષ થાકી ગયા હતા અને તે જ ઔરંગઝેબને છત્રપતિ શિવાજીના  સ્વરાજમાં દફનાવવામાં આવ્યો હતો


શિવાજી એ એક નવી રણનિતિ આપી જેનુ નામ છાપમાર નિતિ કે ગોરીલા નિતિ કહેવાય છે.

મુંબઇમાં શિવાજી માનામાં એર પોર્ટ્નું નામ છત્રપતિ શિવાજી એરપોર્ટ છે.

શિવાજીના મંત્રી મંડળમાં આઠ મંત્રીઓ હતા જેમને અષ્ટ પ્રધાન પણ કહેવામા આવે છે.

સંત રામદાસ શિવાજીના આધ્યાત્મિક ગુરુ હતા.

પ્રતાપગઢ અને રાયગઢ કિલ્લઓ જિત્યા બાદ શિવાજીએ રાયગઢને મરાઠા રાજ્યની રાજધાની બનાવી હતી. 


સિંહગઢની લડાઇમાં કોડાણાનો કિલ્લો જીત્યો હતો, જેમાં શિવાજીના સેનાપતિ તાનાજીનું મુત્યુ થયું હતું. તાનાજી તેમના ખાસ મિત્ર પણ હતા મુત્યુના સમાચાર સાંભળતા જ શિવાજીએ કહયું હતું કે, "ગઢ આલા પણ સિંહ ગેલા" (ગઢ આવ્યો પણ સિંહ ગયો). ત્યારથી આ કિલ્લાનું નામ સિંહગઢ પડ્યું હતું.


  

આ લડાઇમાં કોડાણનો કિલ્લો જીત્યો હતો, જેમાં શિવાજીના સેનાપતિ તાનાજીનું મુત્યુ થયું હતું. તાનાજી 






Tuesday, 8 September 2020

કેપ્ટન રૂપસિંઘ (હોકી પ્લેયર)

 કેપ્ટન રૂપસિંઘ (હોકી પ્લેયર) જીવન પરિચય

8 સપ્ટેમ્બર 1908

રૂપસિંહ  (8 સપ્ટેમ્બર 1908 - 16 ડિસેમ્બર 1977)

એક ભારતીય હોકી ખેલાડી હતો. તે ભારતની પ્રખ્યાત

હોકી ટીમનો ભાગ હતો જેણે 1932 અને 1936

ઓલિમ્પિક રમતોમાં ભારત માટે

ગોલ્ડ મેડલ જીત્યા હતા.

તે ભારતીય હોકીના સૌથી પ્રખ્યાત ખેલાડી

ધ્યાન ચંદનો નાનો ભાઈ હતો અને તે અત્યાર

સુધીનો મહાન હોકી ખેલાડી તરીકે માનવામાં આવે છે. 

કેપ્ટન રૂપસિંહ ખુદને સર્વકાળના મહાન

હોકી ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે.


વધુ માહિતી મેળવવા માટે

નીચે આપેલ ફોટો પર ક્લિક કરો.



Monday, 7 September 2020

International Literacy Day (વિશ્વ સાક્ષરતા દિન)

 વિશ્વ સાક્ષરતા દિન(International Literacy Day)

8 સપ્ટેમ્બર


વિશ્વ સાક્ષરતા દિન જગતમાં દર વર્ષે આઠમી સપ્ટેમ્બરના દિવસે

ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે

ઉજવવાની જાહેરાત યુનેસ્કો (UNESCO) તરફથી

ઈ. સ. ૧૯૬૫ના વર્ષમાં સત્તરમી નવેમ્બર ના દિવસે કરવામાં આવી હતી.

આ દિવસની ઉજવણીની શરૂઆત ઈ. સ. ૧૯૬૬ના વર્ષથી

કરવામાં આવી હતી. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે

ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય

તેમ જ સમાજને સમજાવી અને તેના વિષે જાગૃતિ લાવવાનો છે.


વધુ માહિતિ માટે નીચે આપેલ ફોટા પર ક્લિક કરો.





Sunday, 23 August 2020

સારસ્વત યાત્રાના મણકા 84માં શાળાના શિક્ષક શ્રી શૈલેંદ્રસિંહ ગોહિલના કાર્યની નોંધ


સમય 3:00 થી 4:30 મિનિટમાં
સારસ્વત યાત્રાના મણકા 84માં શાળાના શિક્ષક શ્રી શૈલેંદ્રસિંહ ગોહિલના કાર્યની નોંધ 
શૈલેંદ્રસિંહ ગોહિલ દ્વારા લોકડાઉનના સમયમાં સતત વિશષ દિન ક્વિઝ બનાવી જેનો લાભ ગુજરાતના બાળકો અને શિક્ષકોએ લાભ લીધો.

Wednesday, 12 August 2020

જન્માષ્ટમી નિમિત્તે ઓનલાઇન કવિઝ સ્પર્ધાનું આયોજન

 


જન્માષ્ટમી નિમિતે ધ્રુપકા શાળા પરિવાર દ્વારા શ્રી કૃષ્ણના જીવન વિષયક ઓનલાઇન કવિઝ સ્પર્ધાનું આયોજન કરેલ છે.

આ કવિઝમાં શાળામાં ભણતા ધોરણ 3થી 8ના બાળકો, ભૂતપૂર્વ બાળકો, ધોરણ 9થી કોલેજ કરતા બાળકો અને ગામના વાલીઓ ભાગ લઈ શકશે.

આ કવિઝમાં ભાગ લેનારને એક સુંદર ઇ-સર્ટિફિકેટ તથા જુદી જુદી કેટેગટીમા નંબર મેળવનાર પ્રથમ ત્રણ ને આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે.

કેટેગરી પાંચ છે.
ધોરણ 3થી 5
ધોરણ 6 થી 8
ધોરણ 9 થી 12
કોલેજ
ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ગામના વાલીઓ

દરેક કેટેગરીમાં પ્રથમ ત્રણ નંબર મેળવનારને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપવામાં આવશે.

સ્પર્ધાના નિયમો
1. આ કવિઝ ફક્ત ધ્રુપકા ગામના બાળકો અને વાલીઓ માટે છે.
2. આ કવિઝમાં દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે દસ  સેકંડનો સમય છે. 
3. જેટલો ઝડપી જવાબ આપશો તેટલા વધુ ગુણ આવશે.
4. કવિઝ રમવા માટે ઇ મેઈલ થી સાઈન ઇન થવું ફરજીયાત છે.( ઇ મેઈલ નાખવું)
5. આ કવિઝ સમય આધારિત છે.
6. આ કવિઝ આજે રાત્રે 12 વાગ્યા સુધી જ રમી શકાશે. 12 વાગ્યા પછી કવિઝ બંધ થઈ જશે.
7. સ્પર્ધામાં વિજેતાને ઇનામ અને પ્રમાણપત્ર માટે શાળા ખુલે ત્યારે જાણ કરવામાં આવશે.
8. કવિઝ એક ઇ મેઇલથી ફક્ત ત્રણ વાર રમી શકાશે.
9. કવિઝમાં કોડ માંગે તો 9333481 નાખવો.

કવિઝ રમવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.



નંદ ઘરે આનંદ ભાયો, જય કન્હૈયાલાલ કી…
હાથી , ઘોડા, પાલખી, જય કન્હૈયાલાલ કી...


🙏 *જય શ્રી કૃષ્ણ*  🙏

HAPPY JANMASHTAMI

Thursday, 6 August 2020

Daily Test of Dhrupka school, Quiz No-7, વિજ્ઞાન

*Daily Test-7*
*વિજ્ઞાન*
*તા.2/08/2020*

🏅આ ટેસ્ટમા વિષય મુજબ દરરોજ 10 પ્રશ્નો મુકવામા આવશે.

🏅છેલ્લે નીચે ભુરા રંંગના Submit બટન પર ક્લિક કરવી, એટલે તમારી ક્વિઝ પુરી થશે

🏅તમે મેળવેલ ગુણ જોવા માટે Submit આપ્યા પછી View Score પર ક્લિક કરવી.

🏅દરરોજ સાંજે 6 વાગ્યે ક્વિઝ દરેક ધોરણના શાળાના ગૃપમાં મુકવામાં આવશે.

🏅ક્વિઝ ગમે ત્યારે અને ગમે તેટલી વાર તમે રમી શક્શો.

કવિઝ રમવા માટે નીચે આપેલ ભૂરા રંગની લિંક પર ક્લિક કરો.

Daily Test Of Dhrupka School, Quiz No-8, ગુજરાતી

*Daily Test-8*
*ગુજરાતી*
*તા.6/08/2020*

🏅આ ટેસ્ટમા વિષય મુજબ દરરોજ 10 પ્રશ્નો મુકવામા આવશે.

🏅છેલ્લે નીચે ભુરા રંંગના Submit બટન પર ક્લિક કરવી, એટલે તમારી ક્વિઝ પુરી થશે

🏅તમે મેળવેલ ગુણ જોવા માટે Submit આપ્યા પછી View Score પર ક્લિક કરવી.

🏅દરરોજ સાંજે 6 વાગ્યે ક્વિઝ દરેક ધોરણના શાળાના ગૃપમાં મુકવામાં આવશે.

🏅ક્વિઝ ગમે ત્યારે અને ગમે તેટલી વાર તમે રમી શક્શો.

કવિઝ રમવા માટે નીચે આપેલ ભૂરા રંગની લિંક પર ક્લિક કરો